‘પ્રભુની પ્રેમ પ્રસાદી’ એવું આ આ વિચેશ્વર તળાવ એ સ્વામિનારાયણ ભગવાનનું પવિત્ર એવું પ્રસાદીનું સ્થળ છે. જ્યાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ દરમિયાન એક વખત માનકુવા ગામમાં વિચરણ માટે પધાર્યા હતા. તે સમયે ભગવાન તેના ભકતજનો સાથે આ તળાવમાં સ્નાન કરવા માટે વહેલી પરોઢે નીકળી પડતા. અને વિચરણ કરતા. આમ, આ સ્થળ પર સ્વામિનારાયણ ભગવાન વિચરણ કર્યું હોવાથી તે સ્થળનું નામ ‘વિચેશ્વર’ રાખવામાં આવ્યું છે.
જે સ્વામિનારાયણ ભગવાન માનકુવા ગામને પોતાનું ચિર સંભારણું આપતા ગયા છે. અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને હરિભક્તો માટે તે એક પવિત્ર તીર્થસ્થળ બની ગયું છે. જે માનકુવા ગામની ઉત્તરમાં આવેલું છે. જ્યાં સુંદર રમ્ય વાતાવરણ આપણા મનને પવિત્રતાની સાથે શાંતિ પણ બક્ષે છે. તેમજ ત્યાં ભોળાનાથ એવા મહાદેવનું મંદિર પણ આવેલું છે. તેનાં હરિભક્તો ભાવથી દર્શન કરી દૈવી આનંદ માણે છે.
સમયની સાથે સાથે ગામ લોકો દ્વારા આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. અને એક રમત-ગમતનું મેદાન બનાવવામાં આવ્યું. જેથી બાળકો અહીં રમવાનો આનંદ લુટી શકે છે. ગામનાં લોકો અને બાળકો દ્વારા નવરાશના સમયે અહીં ક્રિકેટની રમતનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ લોકો મનની શાંતિ અને પવિત્રતા મેળવવા માટે આવતાં હોય છે.