વણકર શુભ વિવાહ એ ગુજરાતી તમામ વણકર જ્ઞાતિના લગ્ન ઇચ્છુક લોકોને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટેની વેબસાઈટ છે.
લગ્ન એ સમાજની એવી વ્યવસ્થા છે જેને લીધે બે પરીવાર, બે ગામ અને ઘણા બધા લોકો નેે એકબીજા સાથે જોડે છે.
આજના સમયમાં આ વ્યવસ્થા ખોરવાઈ રહી છે, તથા લોકોના વિચાર અને વ્યવહાર આધુનિક બની ગયા છે. આજ વિકસિત હોવા છતાં પણ આપણે આ વ્યવસ્થાને અનુરૂપ પરિવર્તન કરી શક્યા નથી. સમાજમાં થઈ રહેલા પરીવર્તને અનુરૂપ વણકર શુભ વિવાહએ આધુનિક અને મજબૂત સમાજ તથા લગ્ન વ્યવસ્થાને સરળ બનાવવા માટે પ્રયત્ન કર્યોે છે. વણકર શુભ વિવાહ માત્ર અપરણિત માટે તેમજ છુટાછેડા, વિધવા-વિધૂર અને શારીરિક રીતે અપંગ સમાજના લોકોને પણ સેવા આપશે.
અમે વિશ્વના કોઈ પણ ખૂણ રહેતાં ગુજરાતી વણકર સમાજના લોકો ને જોડવાનું અને નવી દિશામાં વિકાસલક્ષી સમાજ બનાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.
વણકર શુભ વિવાહના સ્થાપક શ્રી હિરેન ઈશ્વરભાઈ પરમાર એ સમાજને પરગણા, કસબા, સીટી, શહેરના સીમાકનથી ઉપર વિશ્વ ગુજરાત વણકર સમાજને એક બનાવવાનો વણકર શુભ વિવાહ દ્વારા નમ્ર પ્રયત્ન કરેલ છે..
અમારો ધ્યેય "All Vankar Society...One Vankar Society"