લુવારવાવ (તા. પાલીતાણા) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી આવેલ છે.
આ ગામના પાદરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેની બાજુમાં ગિરનારી આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. ગામમાં રામજી મંદિરે દર વર્ષે નવરાત્રીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગામમાં માટીથી ચણેલા અને છાપરા પર દેશી નળિયા વાળા મકાનો જોવા મળે છે. ગામમાં બારેમાસ પીવાનું પાણી ઘરે નળ દ્વારા મળી રહે તેવી સગવડ છે. અહિં આવેલી લુવારવાવ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં "BRC" ભવન આવેલું છે, જ્યાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા તથા જમવાની સુવિધાઓ મળે છે.