સ્વૈચ્છિક રીતે લોકચાહના થકી લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ એવા શ્રી કિરીટભાઇ પટેલ સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સમાજનિર્માણથી જ રાષ્ટ્રનિર્માણ શક્ય છે, આ માટે મહિલાઓ સહિત દરેક સમાજમાં શિક્ષિત, દીક્ષિત, સુવિકસિત, સ્વચ્છ, આરોગ્યપ્રદ વિકાસ હોવો અત્યંત આવશ્યક છે.આ માટે સમાજના દરેક લોકોને રોજગારી મળી રહે, સારૂં શિક્ષણ મળી રહે, સમાજ નિર્વ્યસની બની રહે, દરેકનું આરોગ્ય જળવાઇ રહે તેવી તબીબી સુવિધા પ્રાપ્ત થાય અને તમામના હૃદયમાં પોતાના વતન અને દેશપ્રેમની ભાવના જાગે અને દેશ સમૃદ્ધ બને તેવો ધ્યેય ધરાવે છે અને તે માટે શ્રી કિરીટભાઇ પટેલ પુર્ણ રીતે કટિબદ્ધ છે.