જય કિસાન:
ખેતરમાં કણ કણ વાવીને અનાજનું ઉત્પાદન કરવું એ એક મોટી સાધના છે, મોટી તપસ્યા છે. જે લોકો ઓફિસમાં બેઠા બેઠા એરકંડિશન સાથે પ્રોડક્ક્ષન પર ધ્યાન આપતા હોઈશું કે ઉત્પાદન કરતા હોઈએ. પરંતુ આ ખેત ઉત્પાદન કરતા જગતનોતાત જુઓ કાળઝાર ગરમીમાં તે પોતાના ખેતરમાં કામ કરતો હોઈ છે, કેટલી મોટી સાધના કહેવાય.
આજે જે લોકો માત્ર અર્ધો કલાક ગરમી કે ઠંડી સહન થઈ શકતી ન હોય તેવા સંજોગોમાં આ કામ જગતના તાત ને ખરેખર તેમની સહનશક્તિને દાદ આપવી પડે કે સલામ કરવાનું મન થઈ આવે. માટે તેઓ દેશના સાચા મિશાલચીઓ છે.
પોતે કરેલ ઉત્પાદનમાંથી બધુ પોતાની પાસે રાખતો નથી, પોતાને જરૂર હોય તેટલુ રાખી તે જનસમુદાય સમક્ષ મુકે છે. ખેડુત જ્યારે ખેતરમાં કામ કરે છે ત્યારે તેની આર્થિકસ્થિતિ, મોઘાં ઉત્પાદનના સાધનોની ટાંચ હોવાં છતાં તે અનાજના એક દાણાંમાંથી કે કણ કણમાંથી તે અગણિત ઉત્પાદન કરી દુનિયાના લોકોની તે જઠરાગ્નિને તે ઠારે છે.
કહેવાય છે કે જગતના બધા દાનોમાંથી “ શ્રેષ્ઠદાન ” અન્નદાન છે પણ તે ક્ષણિક છે. ત્યાર બાદ બીજા સ્થાને “ વિદ્યાદાન ” આવે છે, એવું મારૂ માનવું છે. ખેડુત આમ જોવા જઈએ તો એક માતૃત્વનો ધર્મ બજાવે છે, જેમ એક માતા બાળકની માવજત કે લાલન પાલન કરી બાળ ઉછેરે કરે તેમ તે પૃથ્વી પરના જીવોનું જતન તન, મન અને ધનથી કરે છે.